
KBC 15 : શું તમે જાણો છો આ એક કરોડના સવાલનો સાચો જવાબ ? બે લાઈફલાઈન અને એક કરોડનો સવાલ છતાં ન આપી શકી સાચો જવાબ..!
Sony TVના ક્વિઝ રિયાલિટી શો 'Kaun Banega Crorepati 15'ના Latest Episodeમાં સ્પર્ધક તેજિન્દર કૌરના રોલ ઓવર સાથે શરૂ થયો હતો, જેણે અગાઉના એપિસોડમાં 3,20,000 રૂપિયા જીત્યા હતા. તેજિન્દરની 3 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની સફર અદ્ભુત હતી. પરંતુ 1 કરોડ રૂપિયાના પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કરવા છતાં Punjabના આ સ્પર્ધકે 50 લાખ રૂપિયા લઈને શો છોડવાનો નિર્ણય કર્યો. અમિતાભ બચ્ચને પણ Tejindar Kaurના આ નિર્ણયને આવકાર્યો હતો.
Amitabh Bachchanની સામે હોટ સીટ પર બેસીને તેજીન્દર, જેણે તેજસ્વી રીતે પ્રશ્નોના સાચા જવાબો આપ્યા, તેણે તેના પતિ વિશે બિગ બી સાથેની કેટલીક હૃદયસ્પર્શી વાતચીત શેર કરી હતી. તેજિન્દરે કહ્યું કે, તેમને ફિલ્મો જોવામાં કે ગીતો સાંભળવામાં રસ નથી. પરંતુ તેજિન્દરને ફિલ્મો જોવાનો અને ગીતો સાંભળવાનો ખૂબ શોખ છે. લગ્ન સમયે તેમના પતિના ઘરે રેડિયો પણ ન હતો. પરંતુ તેણે લગ્ન પછી એક રેડિયો ખરીદ્યો કારણ કે તેની પત્નીને ગીતો સાંભળવાનું પસંદ છે.
જ્યારે અમિતાભ બચ્ચને તેજિંદરને 1 કરોડ રૂપિયાનો પ્રશ્ન પૂછ્યો ત્યારે તેના હાથમાં બે Life Line હતી. સૌથી પહેલા તેણે 'Audience Poll'નો સહારો લીધો. પરંતુ આ વિકલ્પમાંથી વધુ મદદ ન મળતાં તેણે તેની છેલ્લી લાઈફલાઈન ‘Phone A Friend’નો ઉપયોગ કર્યો. પરંતુ તેની મિત્ર આ પ્રશ્નનો સાચો જવાબ આપી શકી ન હતી. આ જ કારણ છે કે તેજિન્દરે 50 લાખ રૂપિયા લઈને ગેમ છોડવાનો નિર્ણય કર્યો હતો.
सुहैली, वह नौका जिसमें रॉबिन नॉक्स-जॉन्सटन एकल जहाज से बिना रुके दुनिया का चक्कर लगाने वाले पहले व्यक्ति बने, किस शहर में बनाई गई थी?
A. सूरत
B. मुंबई
C. कोलकाता
D. कोच्ची
सही जवाब – B (मुंबई)
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાતી સમાચાર - Entertainment news - કૌન બનેગા કરોડપતી સવાલ