• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • Latest 100+ Gujarati Suvichar 2023 | નાના ગુજરાતી સુવિચાર | Motivational Quotes

Latest 100+ Gujarati Suvichar 2023 | નાના ગુજરાતી સુવિચાર | Motivational Quotes

10:10 AM September 03, 2023 admin Share on WhatsApp



સુવિચાર એવા જે તમારી જિંદગી બદલી દેશે..! માત્ર એક વાક્ય અથવા એક વિચાર તમને સફળતાના શીખર સુધી પહોંચાડવાની શક્તિ ધરાવે છે. આજે અમે પણ આવા જ best latest Gujarati Suvichar અને મહાન વ્યક્તિઓના સુવિચારનું બેસ્ટ સંકલન લઈને આવ્યા છીએ. જે આપને જીવનમાં ખૂબ જ ઉ૫યોગી બનશે.

► ગુજરાતી સુવિચાર (Latest Gujarati Suvichar)


♦ મહેનતથી સફળતા મળે છે વિચારોથી નહીં! 


♦ સફળતાનો કોઇ મંત્ર નથી, એ તો માત્ર કઠોર ૫રિશ્રમનું ફળ છે.


♦ સારૂ ૫રિણામ મેળવવા માટે વાતોથી નહીં, અનેક સંઘર્ષ અને રાતોથી લડવુ ૫ડે છે.


♦ સમય અને શિક્ષણનો સદઉ૫યોગ જ વ્યકિતને સફળ બનાવી શકે છે.


♦ સતત ૫વિત્ર વિચાર કરતા રહો, ખરાબ સંસ્કારોને દબાવવા માટેનો આ જ એક શ્રેષ્ઠ ઉ૫ાય છે. – સ્વામી વિવેકાનંદ


 

♦ રાત્રીનું વાંચન સૌથી શ્રેષ્ઠ ગણાય છે કારણકે રાત્રે પુસ્તકો તમારા માટે અને તમે પુસ્તકો માટે જાગો છે.


♦ હંમેશા બિજાની સફળતા વિશે જાણવા કરતાં પોતાની સફળતા વિશે વિચારવુ જોઇએ.


♦ જીવનમાં દરેક કામ સરળ નથી હોતુ અને જે કામ સરળ હોય છે તે કામ ખાસ નથી હોતુ


♦ ખુદને કમજોર અને નાના સમજવુ એ સૌથી મોટુ પા૫ છે.


♦ વિના સંઘર્ષ માણસ ચમકી નથી શકતો જે દિવો પ્રજજવલિત હશે તેમાં જ અજવાળુ ૫ણ હશે.


♦ ભુલો એ જીવનનો અહમ હિસ્સો છે તેને સ્વિકાર કરવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે.


♦ જીવનમાં એ જ વ્યકિતઓ નિષ્ફળ થાય છે જે વિચારે છે ૫ણ કરતા નથી


♦ કોઇ ૫ણ કાર્ય ત્યાં સુઘી અસંભવ લાગે છે જયાં સુઘી એ કાર્ય કરવામાં ન આવે


♦ મહેનત એટલી ખામોશીથી કરો કે સફળતા શોર મચાવી દે...


♦ જો તમે સુરજની જેમ ચમકવા માંગો છો, સુરજની જેમ ત૫વાનું શિખો – ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ


♦ સફળતાનો રસ્તો પ્રામાણિકતાના માર્ગેથી જ નિકળે છે. આ દુનિયામાં મહેનત કર્યા વગર કયાંય કશુ જ મળતુ નથી


♦ ૫ક્ષીઓને ખાવા કુદરત દાણા તો જરૂર આપે છે ૫રંતુ તેના માળામાં નહીં!


♦ સાચા શિક્ષક બનવુ હોય તો શિખનાર બનવુ ૫ડે હું શિક્ષક નથી, માત્ર સાર્થી વિદ્યાર્થી છું


♦ જો સુખ-સુવિધાથી વિદ્યાર્થીઓને શિક્ષણ મળતુ હોતને તો ઋષિઓના આશ્રમ જંગલમાં નહીં, રાજાના મહેલમાં હોત


♦ અષાઠ ચુકેલો ખેડૂત, ડાળી ચુકેલો વાંદરો, વૃક્ષથી ખરેલુ પાંદડુ અને શાળાથી ભાગેલો વિદ્યાર્થી હંમેશા ૫સ્તાય છે.


♦ શાળા એ તો નિરાંતનું સ્થાન છે, જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી બંને શીખવા ભેગા થાય છે.


♦ એક વિદ્યાર્થી માટે સૌથી વધારે જરૂરી છે પ્રશ્ન પૂછવો, એટલે વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછવામાં સંકોચ કરવો જોઈએ નહીં


♦ જો તમારે સફળ થવું હોય તો તમારી અંદર રહેલી પ્રતિભાને ઓળખો.


♦ વિચારોમાં તમારો સમય બગાડો નહીં, અત્યારે જ તમારું કામ શરૂ કરો. સમયનો બગાડ તમને વિનાશ તરફ લઈ જાય છે.


♦ "સમય” તમને રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી શકે છે.


♦ ડર બે ક્ષણનો જ હોય છે, નિર્ભયતા જીવનભર તમારી સાથે રહે છે.


♦ શિક્ષક માત્ર સફળતાનો માર્ગ જ બતાવી શકે છે, પરંતુ એ માર્ગ પર ચાલવાનું તમારે છે.


♦ જે નમતો નથી તે તૂટે છે, માટે હંમેશા અહંકારથી દૂર રહો. તમે જે વિચારો છો તેવુ જ કરો છો.


♦ ધ્યેય પ્રાપ્ત કરવા માટે તમારો પોતાનો માર્ગ બનાવો, બીજાના માર્ગ પર ન ચાલો.


♦ જો તમે બીજાનો આદર કરશો તો તમને પણ સન્માન મળશે.


♦ હંમેશા સમય સાથે આગળ વધતા રહો, નહીં તો તમને ૫ણ લોઢાની જેમ કાટ લાગશે.


♦ શિક્ષકને પ્રશ્ન કરવો એ સારી બાબત છે કારણ કે તે તમને જ્ઞાનના માર્ગ પર લઈ જાય છે.


♦ તમારા મનમાં એક વાતની ગાંઠ બાંધી લો, આ દુનિયામાં કશું જ અશક્ય નથી.


♦ વાંચવાનું ક્યારેય બંધ ન કરો, કારણ કે જ્ઞાનને કોઈ સીમા નથી હોતી.


♦ તમારું કામ જાતે કરો, જો તમે બીજામાં વિશ્વાસ કરશો, તો તમે હંમેશા છેતરાઈ જશો.


♦ કોઈપણ તમારી પાસેથી પૈસા છીનવી શકે છે, પરંતુ જ્ઞાન હંમેશા તમારી સાથે રહેશે.


♦ જો તમને પડી જવાનો ડર લાગતો હોય, તો તમે ક્યારેય ઊભા નહીં રહી શકો.


♦ ક્યારેય કોઈનો ભરોસો તોડવો નહીં, કારણ કે એક વાર તે તૂટી જાય પછી તેને ફરી જોડી શકાતો નથી.


♦ કેટલીકવાર આંખો પણ છેતરે છે, તેથી તમારી આંખો અને કાન બંને હંમેશા ખુલ્લા રાખો.


♦ હંમેશા સારા લોકો સાથે મિત્રતા રાખો. કોલસા સાથે મિત્રતા રાખશો તો ડાઘ તો પડશે જ.


♦ માણસની દાનત ચોખ્ખી હોય તો, ભગવાન કોઈ ને કોઈ રૂપમાં મદદ જરૂર કરે છે.


♦ "પ્રાર્થના એવી રીતે કરો કે બધુ જ ભગવાન ઉપર જ નિર્ભર છે અને પ્રયત્ન એવી રીતે કરો કે બધુ જ તમારા ઉપર જ નિર્ભર છે."


♦ "જ્યારે તમે એકલા હોવ ત્યારે તમારા વિચારો ઉપર કાબુ રાખો અને જ્યારે તમે બધાની સાથે હોવ ત્યારે તમારી જીભ ઉપર કાબુ રાખો"


♦ "સંબંધોની સિલાઈ જો ભાવનાઓથી થઈ હશે તો એનો તૂટવું મુશ્કેલ છે અને જો સ્વાર્થથી થઈ હશે તો એનું ટકવું મુશ્કેલ છે."


♦ સત્ય સુરજ જેવું હોય છે એ થોડીક વાર સંતાઈ તો શકે છે પણ એ રહે છે હંમેશા માટે…


♦ પરિસ્થિતિઓ થી માણસ જેટલું તૂટે છે, એનાથી કેટલાય ગણુ વધારે પરિસ્થિતિઓ માણસને અંદરથી મજબૂત બનાવી દે છે.


♦ નવા દિવસની દરેક સવાર આપણી માટે કંઈક નવું લઈને આવે છે અને દરેક સાંજ આપણને કંઈક શીખવાડીને જાય છે.


♦ ધર્મ તો આ બે હાથ જ નક્કી કરી લે છે, હાથ જોડાઈ જાય તો પૂજા કહેવાય છે, અને ખુલી જાય તો દુઆ કહેવાય છે.


♦ કિરણ ભલે સૂરજની હોય કે આશાની હોય એ આપણી જિંદગીમાંથી અંધકારનો નાશ કરે છે.


♦ ખાલી ખરો નિર્ણય લઈ લેવો એમાં કંઈ હોશિયારી નથી પણ ખરા સમયે ખરો નિર્ણય લેવો એમાં હોશિયારીની વાત છે.


♦ દુનિયાનો કોઈપણ વ્યક્તિ બધા જ ગુણોથી ભરપૂર હોતો નથી એટલે અમુક ખામીઓને છોડી દો અને સંબંધો ટકાવી રાખો.


♦ બધી શબ્દોની જ રમત છે ભાઈ, મીઠા શબ્દો દવાનું કામ કરે છે અને કડવા શબ્દો ઘા આપી જાય છે.


♦ સંબંધોની કદર પણ પૈસાની જેમ કરતા શીખો કારણકે બંનેને કમાવવા ઘણા મુશ્કેલ છે અને ગુમાવવા ઘણા સહેલા છે.


♦ જે લોકો પોતાની ભાવનાઓને છુપાવી શકે છે, એ લોકો દિલથી બીજાનું ધ્યાન વધારે રાખી શકતા હોય છે.


♦ લોકો કહે છે કે જિંદગી ફક્ત એકવાર મળી છે, પણ જિંદગી નહીં મોત એકવાર મળે છે, જિંદગી તો આપણને દરરોજ મળે છે.


♦ લખો, ભણો, લડો, ઝઘડો, હસો, રડો ગમે તે કરો… પણ જે સપના તમે જોયા છે એને દરેક કિંમતે પૂરા કરો…


♦ આજના સમયમાં કોઈને એવી જાણ ન થવા દેતા કે તમે અંદરથી કેટલા તૂટેલા છો, કારણ કે લોકો તૂટેલા મકાનની ઈંટો પણ ઉઠાવીને લઈ જતા હોય છે.


♦ જે લોકો પરસેવાની સહીથી પોતાના નસીબ લખતા હોય છે, એમના નસીબના કાગળ કોઈ દિવસ કોરા રહેતા નથી.


♦ દરેક વૃક્ષ ફળ આપે એ જરૂરી નથી, અમુક વૃક્ષો ફળ નહીં પણ ઠંડો છાંયો આપે છે.


♦ ધીરજ અને સત્યતા આ બંને એવી વસ્તુઓ છે, જે તમને ક્યારે પણ કોઈની નજરોમાં કે કોઈના પગમાં પડવા નહીં દે…


♦ જિંદગીમાં ખુશ રહેવા માંગતા હો તો પોતાના સંબંધોને સાચવી લો.


♦ સત્ય એવા લોકો માટે જ કડવું હોય છે, જે લોકો ને ખોટામાં રહેવાની ટેવ પડી ગઈ હોય છે.


♦ જિંદગીમાં જીતવા માટે જીદ્દનું હોવું જરૂરી છે, હારવા માટે તો ફક્ત એક ડર જ કાફી હોય છે.


♦ જ્યારે આપણે કોઈને માટે કંઈક સારું કરી રહ્યા હોઈએ, ત્યારે આપણી માટે પણ ક્યાંક કંઈક સારું થઈ રહ્યું હોય છે.


♦ જે ચુપ રહે છે એ મૂંગા નથી હોતા ચૂપ રહેવું એ પણ સંસ્કારો નો ભાગ છે.


♦ વ્યક્તિની સહનશક્તિ એક ખેંચાયેલા દોરા જેવી હોય છે. જો એને જરૂરથી વધારે ખેંચવામાં આવે તો એનું તૂટી જવું નક્કી છે.


♦ જેને ફક્ત બદલાવાની ટેવ હોય એ ક્યારેય કોઈનો પણ થઈ નથી શકતો એ પછી સમય હોય કે માણસ..


♦ જે લોકો પોતાની જીભને કાબુમાં રાખી શકતા હોય છે એ લોકો સંબંધો સાચવી શકતા હોય છે.


♦ લોકોની નિંદાઓ સાંભળીને કોઈ દિવસ પોતાનો રસ્તો ના બદલી નાખશો કારણ કે સફળતા શરમથી નહીં હિંમત રાખવાથી મળે છે…


♦ જિંદગીની તકલીફોથી હારી ના જતા મિત્રો કારણ કે જિંદગીમાં ક્યારે પણ ક્યાંથી અચાનક નવો વળાંક આવી જતો હોય છે.


♦ તમારો વ્યવહાર તમારા ઘરનું કળશ છે. અને તમારી માણસાઈ તમારા ઘરની તિજોરી છે.


♦  જિંદગીમાં પૂરું તો બધું જ ધીમે ધીમે થઈ જ રહ્યું છે બસ એની ખબર આપણને એક દિવસ અચાનક પડતી હોય છે.


♦ પાપ કરવા નથી પડતા, થઈ જાય છે અને પુણ્ય થઈ નથી જતા, કરવા પડે છે!..


♦ મૌન રહેવું એક સાધના છે અને સમજી વિચારીને બોલવું એ એક કળા છે.


♦ તમારા લક્ષ્યના અડધા રસ્તા પર પહોંચી ગયા પછી કોઈ દિવસ પાછા ન વળતા કારણ કે તમે પાછા વળશો તો પણ તમારે અડધો રસ્તો પાર કરવો જ પડશે!….


♦ આ જિંદગી પણ એક અરીસા જેવી છે જ્યારે તમે હસો છો ત્યારે જ એ પણ હસે છે.


♦ જે સુખમાં સાથ આપે તે માણસ હોય છે. અને જે દુઃખમાં સાથ આપે તે ભગવાન હોય છે.


♦ જિંદગીમાં પ્રેમ ફક્ત ભગવાન અને તમારા કાર્યની સાથે કરો કારણ આ બન્નેમાંથી કોઈપણ ક્યારેય દગો નહીં કરે…


♦ સંબંધોનો ગેરફાયદો ક્યારેય ઉઠાવશો નહીં કારણ કે સારા માણસો જીવનમાં વારંવાર નથી મળતા.


♦ સાચું સુખ તો “સુખ” વહેંચીને જ મળે છે પછી એ “જીત” હોય કે “વિચાર”


♦ જ્યાં સુધી તમે પોતે તમારા મનથી હાર નથી માનતા, ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી.


♦ નાના નાના નિર્ણયો લેવાથી જ એક દિવસ મોટી સફળતા મળે છે.


♦ કોઈની સાથે અપશબ્દનો ઉપયોગ કરતા પહેલા એટલો વિચાર કરજો, જો આ જ શબ્દો તમને પાછા મળે તો તમને કેવું લાગશે?


♦ નિસ્વાર્થ ભાવથી તમે સારા કર્મ કરતા રહો તમારા કર્મ જ તમારો પરિચય આપશે.


♦ માણસ આખી દુનિયા સાથે જૂઠું બોલી શકે છે, પણ પોતાની જાત સાથે ક્યારેય જૂઠું બોલી શકતો નથી.


♦ એ કાર્યને કોઈ દિવસ છોડશો નહીં જે કાર્ય વિશે તમે દરરોજ વિચાર કરો છો…


♦ ગંગાજીમાં ડૂબકી લગાવવાથી નહીં પણ પોતાના વિચારોને બદલવાથી જિંદગીમાં બદલાવ આવે છે.


♦ જિંદગીમાં સમયનો સદઉપયોગ કરતા શીખો. દરેક સફળ વ્યક્તિએ સમયનો સદુપયોગ કરીને જ સફળતા મેળવી છે.


♦ દુનિયા એની ઉપર જ વિશ્વાસ કરે છે જેને પોતે પોતાના ઉપર વિશ્વાસ હોય છે


♦ અજવાળા સુધી પહોંચવા માટે અંધારામાંથી પસાર થવું જ પડશે.


♦ સોચમાં મોચ આવે ત્યારે સંબંધોમાં ખરોંચ આવે છે.


♦ કરોળિયો પણ પોતાની જાળમાં એટલું ફસાયેલો નથી રહેતો. જેટલું આજનો માણસ પોતાની માયામાં ફસાયેલો રહે છે.


♦ જીવનમાં પોતાનું કહેવાવાળા તો ઘણા મળી જશે, પણ સંબંધ એની સાથે જ રાખજો જેને મળીને પોતાનાપણું લાગે.


♦ જિંદગી માં ખુશીઓ વધારે જોઈએ તો પોતાની ઈચ્છાઓ ઓછી કરી દો…


♦ ક્યારેક ક્યારેક ઘણી દૂર સુધી ચાલવું પડે છે, એ જોવા માટે કે તમારી સાથે કોણ છે?


♦ સમય રહેતા પોતાને બદલી દેવો જોઈએ કારણ કે જ્યારે સમય આપણને બદલે છે તો ઘણી તકલીફ થાય છે.


♦ સાથ નિભાવવાની કળા શીખવી હોય તો એક તાળાથી શીખો એ તૂટી તો જાય છે, પણ પોતાની ચાવી ક્યારેય બદલતો નથી!


♦ માણસ ત્યાં સુધીએ ક્ષણની કિંમત નથી સમજી શકતો, જ્યાં સુધીએ વિતીને એક યાદ નથી બની જતી…


♦ માણસ જેવા વિચાર રાખે છે એવો જ એ પોતે બની જાય છે અને એવી જ એની જિંદગી બની જાય છે


♦ પૈસા અને નામ કોઈ દિવસ માણસને ખુશ નથી રાખી શકતા.


♦ જિંદગીમાં જ્યારે માણસ બધાને ખુશ કરવા જાય છે ત્યારે એ પોતે પોતાને ખોઈ દે છે.


♦ પાન ખર્યા વગર તો ડાળીઓ પર નવા પાંદડા પણ નથી ઉગતા, તો તમને મહેનત કર્યા વગર સફળતા કેવી રીતે મળી જશે?.


♦ જેટલો પ્રેમ તમે તમારી જિંદગીને કરશો, એટલો જ પ્રેમ જિંદગી પણ તમને કરશે


♦ આ જિંદગીને એટલું પણ મરી મરીને ના જીવશો કારણ કે અહીંથી જીવતું બચીને કોઈ નહીં નીકળી શકે…


♦ મિત્રતા જો દિલથી હોય છે તો એ જિંદગીભર સુધી ચાલી શકે છે.


♦ વાત તો ફક્ત વિશ્વાસની હોય છે, બાકી 100 – 200 રૂપિયાના તાળા ના વિશ્વાસ પર આપણે લાખો રૂપિયાનો સામાન મૂકીને જઈએ છીએ.


♦ જિંદગીના કાર્યો સહેલા હોતા નથી, કાર્યોને સહેલા બનાવવા પડે છે


♦ બેસવું હોય તો થાકીને બેસો, પણ હારીને નહીં, કદાચ વધુ એક પ્રયત્નથી તમને સફળતા મળી જાય!


♦ જે વ્યક્તિને તમે બદલી નથી શકતા એવી વ્યક્તિ પાછળ તમે પોતાનો સમય બરબાદ ન કરો


♦ જિંદગીમાં બધું મળી જાય તો તમે કયા લક્ષ્યથી જીવશો એટલે દિલમાં ઈચ્છાઓનું હોવું પણ જરૂરી છે.


♦ વાત કબરની હોય કે કોઈ ખબરની એને ખોદવાનું કામ આપણા પોતાના જ કરતા હોય છે!


♦ જ્યાં સુધી તમારા પોતાની અંદર સચ્ચાઈ નહીં હોય, ત્યાં સુધી તમે બીજામાં ગમે તેટલી શોધી લો, તમને સચ્ચાઈ ક્યાંય નહીં મળે.


♦ કોઈને સમય આપવો એને પૈસા આપવાથી વધારે મહત્વ નું છે.


♦ તમે તમારી જિંદગીને જેટલો પ્રેમ કરશો, જિંદગી પણ તમને એટલો જ પ્રેમ આપશે.


♦ આજના સમયમાં સંબંધો બગડવાના મુખ્ય કારણ એ પણ છે કે લોકો હવે નમવાનું પસંદ નથી કરતા!


♦ પોતાના મન અને ભાવનાઓને જે વ્યક્તિ કાબુમાં રાખી શકે છે. એ વ્યક્તિ એક દિવસ ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે.


♦ ક્યારે પણ એવો વિચાર ન કરતા કે, તમે એકલા છો પણ એવું વિચારજો કે હું એકલો જ બધે પહોંચી વળીશ.


♦ જો ખોરાકમાં ઝેર ભડેલું હોય તો એનો ઉપાય છે, પણ જો વિચારોમાં ઝેર ભરાઈ જાય તો એનો કોઈ રસ્તો નથી…


♦ જવાબદાર બનો અને એવા કામ કરો કે જેનાથી સકારાત્મકતા અને પ્રેમમાં વધારો થાય


♦ જે વ્યક્તિ તમારી સામે બીજા માટે ખરાબ બોલી શકે છે, એ વ્યક્તિ બીજાની સામે તમારા માટે પણ ખરાબ જ બોલતું હશે.


♦ તમારી પાસે પૈસા કેટલો છે એ મહત્વનું નથી પણ તમે કોઈને સમય કેટલો આપી શકો છો, એ મહત્વનું છે.


♦ વિતેલો સમય, બોલેલા શબ્દ અને તૂટેલો વિશ્વાસ આ ત્રણ વસ્તુઓ જિંદગીમાં ક્યારેય પાછી આવી શકતી નથી.


♦ જો તમે તમારી નિયત ચોખ્ખી રાખશો તો ઈશ્વર તમને કોઈ પણ રૂપમાં આવીને મદદ કરી જ જશે.


♦ આજકાલ માણસની ખુશીઓ પણ કાચ જેવી થઈ ગઈ છે, બધા ને ખૂચ્યાં જ કરે છે.


♦ જિંદગીમાં સબંધો વધારે હોવા જરૂરી નથી પણ જેટલા સંબંધો આપણી પાસે છે, એમને સાચવવા જરૂરી છે.


♦ જે લોકો ભૂતકાળમાં જીવતા હોય છે એ ખરેખર પોતાનું ભવિષ્ય બગાડતા હોય છે માણસે વર્તમાનમાં જીવીને અને ભવિષ્ય સાચવવું જોઈએ.


♦ જિંદગીમાં જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે છે તો ઉપરવાળો કોઈને કોઈ આંગળી પકડવા વાળા ને મોકલી દે છે.


♦ તમારા જીવનની ચાલ ને તમે ત્યારે જ સમજી શકશો, જ્યારે તમે ધૂળને ગુલાલ સમજી શકશો…


♦ જિંદગી બદલવા માટે તકલીફો સાથે લડવું પડે છે. અને સહેલી કરવા માટે તકલીફોને સમજવું પડે છે.


અમે આશા રાખીએ છીએ તમને આ ગુજરાતી સુવિચાર (Gujarati Suvichar) ખુબ જ ગમ્યા હશે. અમે અમારી ચેનલ પર અમારા સારા વિચારની સાથે સાંપ્રદ સમયમાં બનતી ઘટનાને લઈને સમાચાર, સ્ટોરી અને તથ્ય રજૂ કરતા હોય છે. તે માટે અમારી ચેનલને ફેસબુક પર ઈન્સ્ટાગ્રામ પર અને ખાસ કરીને ગુગલ ન્યુઝ પર ફોલો કરવાનું ન ભૂલતા. 


 gujjunewschannel.in Follow Us On google News Gujju News ChannelFollow Us On Facebook Gujju News channel  

(Home Page- gujju news channel) 

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Gujarati Suvichar Image - ગુજરાતી સુવિચાર | Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર - નાના ગુજરાતી સુવિચાર - મહાન વ્યક્તિઓ ના સુવિચાર - ગુજરાતી સુવિચાર એટલે શું? - ગુજરાતી સુવિચાર ફોટો - સુવિચાર - નાના સુવિચાર ગુજરાતી - જીવન ગુજરાતી સુવિચાર - સારા સુવિચાર - જ્ઞાન સુવિચાર - ગુજરાતી સુવિચાર અર્થ સાથે -  ગુજરાતી સુવિચાર શાળા માટે - જીવન સુવિચાર - શાળા વિદ્યાર્થી સુવિચાર - આજનો સુવિચાર ગુજરાતી - સારા માણસ સુવિચાર - સુવાક્યો નાના - સુવિચાર ગુજરાતી - વિદ્યાર્થી સુવિચાર



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us