
Gujarat Agriculture News: રાજ્યમાં વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત બન્યો છે. મોઢા સુધી આવેલો કોળ્યો છીનવાઈ જવાની ભીતિ સર્જાઈ છે. એવામાં ખેડૂતો માટે ઉર્જા મંત્રીએ મોટી જાહેરાત કરી છે. પિયત માટે રાજ્યના ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે, 2 કલાક વધુ વીજળી આપવાની સાથો સાથ નર્મદા અને સુજલામ સુફલામમાં સિંચાઈ માટે પાણી છોડવાની પણ જાહેરાત કરાઈ છે.
ઉર્જામંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી લોકોની સુખાકારી માટે લોક ઉપયોગી નિર્ણયો કર્યા છે, જૂલાઈમાં 80 ટકા વરસાદ થયો છે,અત્યારે વરસાદની ખોટ સર્જાઈ છે પાણી છતાં પાક સુકાય રહ્યો છે. ખેડૂતોની કૃષિ મંત્રીને રજૂઆતો આવી છે જેને લઈ વીજળી અને પાણી આપવાની જાહેરાત કરાઈ છે, વીજળી ખેડૂતોને આઠ કલાક અપાય છે જેની જગ્યા હવે 10 કલાક આપવામાં આવશે. જેમા કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, પાટણ, રાજકોટ, જામનગર તેમજ અમદાવાદ, દ્વારકા, બનાસકાંઠા, જૂનાગઢ, સાબરકાંઠામાં 10 કલાક વિજળી અપાશે. જેને લઈ 12 લાખ ખેડૂતોને ફાયદો થશે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, નર્મદામાંથી પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. 14 પાઈપ લાઈનથી સુજલામ સુફલામ યોજના છે તેમાં પણ પાણી છોડવામાં આવશે. સાણંદ અને આસપાસના વિસ્તારો કે જ્યાં ડાંગર થાય છે ત્યાં બે-ત્રણ દિવસમા પણ પાણી અપાશે. 80 ટકા ડેમો ભરાયા છે બાકીના ડેમો માંથી પણ પાણી છોડવામાં આવશે
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ખેડૂત માટેના News In Gujarati