
રક્ષાબંધન કોઇ ધાર્મિક પુજા-વિધિ નથી કે મુહૂર્ત જોવું પડે, શ્રીકૃષ્ણના ચરણમાં રાખડી મુકીને બહેન ભાઈને રાખડી બાંધી શકે..!
રક્ષાબંધન મુહૂર્તને લઈને અનેક માનયતાઓ લોકો વચ્ચે ફેલાઈ રહી છે. એવામાં આપણે શાસ્ત્રોક તજજ્ઞ પાસેથી સલાહ લેવી અનિવાર્ય બને છે. રક્ષાબંધન રામાયણ-મહાભારત કાળથી પ્રેમ-લાગણી, અભિવ્યકિતનું પ્રતિક છે. રક્ષાબંધન કોઇ ધાર્મિક પુજા-વિધિ નથી. જેમાં મુહુર્ત જોવું પડે. એવી સ્પષ્ટ વિચારધારા જયોતિષાચાર્ય શાસ્ત્રી કૃષ્ણ પંડ્યાએ વ્યકત કરી હતી. અલબત્ત, ભદ્રા સંદર્ભે મતમંતાતર જારી રહેલા વિવાદનો મધપૂડો છંછેડાયેલો રહ્યો છે. શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં રાખડી મૂકી બહેન ભાઇને રાખડી બાંધી શકે છે. આગામી બુધવારે રાતે ભદ્રા રહિત રક્ષાબંધન રાત ૯.૦૨ કલાકથી ૧૧:૩૦ કલાક દરમિયાન છે. હિન્દુ શાષાોમાં ઉલ્લેખ્યા મુજબ સૂર્યોદયથી ત્રણ તિથીના મુહૂર્ત જે તિથી ના રહે તે તિથી માન્ય રખાય નહિ જેથી તા. ૩૧મીના રોજ રક્ષાબંધન શાષા માન્ય નથી. એવી વાત જયોતિષાચાર્ય રાજગોપાલ શાસ્ત્રીએ દોહરાવી હતી.
ભદ્રા ત્રણે લોકમાં વિચરણ કરે છે ભદ્રા સ્વર્ગ-પાતાળ લોકમાં હોય તો ત્યાં કષ્ટદાયક પ્રભાવ આપે છે. પરંતુ પૃથ્વીવાસીઓ માટે શુભ ફળ આપે છે. જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન, વૃヘકિ રાશીમાં ભ્રમણ કરે ત્યારે ભદ્રાનો વાસ સ્વર્ગલોકમાં હોય છે. કુંભ મીન, કર્ક, સિંહ રાશીમાં ભ્રમણ કરે ત્યારે ભદ્રાનો વાસ પૃથ્વીલોકમાં હોય છે. કન્યા, તુલા,ધનુ અને મકર રાશીમાં ચંદ્રનું ભ્રમણ હોય તો ભદ્રાનો વાસ પાતાલ લોકમાં હોય છે. તા. ૩૦મીના રોજ ભદ્રા કુંભ અને મીન રાશીમાં ભ્રમણ કરશે જેથી ભદ્રાનો વાસ ધરતી પર રહેશે.
નિર્ણય સિંધુના મત મુજબ જો રક્ષાબંધનના દિવસે ભદ્રા હોય અને પૂર્ણિમા બીજા દિવસે ત્રણ મુહૂર્ત ભોગવતી હોય તો જે તે દિવસ ભદ્રાની સમાપ્તિ પછી રક્ષાબંધન કરવું જોઇએ. તા. ૩૦ મી ઓગસ્ટના બુધવારે ભદ્રાની સમાપ્તિ પછી રક્ષાબંધન કરવું શાષા સંમત છે. એટલુ જ નહિ ભાઇ-બહેન માટે સદૈવ મંગલકારી રહે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Dharmik News In Gujarati - Rakhi In Trend રાખડી ઈન ટ્રેન્ડ