
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં અત્યાર સુધીમાં અલગ અલગ વિસ્તારમાં 80 ટકાથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. અને આગળના ત્રણેય રાઉન્ડમાં ભારે વરસાદ વરસ્યો છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel) ચોથા રાઉન્ડમાં ભારે પવન ફુંકાવાની સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે.
વરસાદ અને વાવાઝોડા અંગે સચોટ આગાહી કરનાર ગુજરાતનાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે વરસાદની આગાહી (Rain Forecast) કરવામાં આવી છે. 27 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી રાજ્યનાં વિવિધ વિસ્તારમાં ભારેથી અતિભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. તેની પાછળનું કારણ એ છે કે બંગાળની ખાડી અને અરબ સાગરમાં ડીપ્રેશન સર્જાવાની શકયતાઓ રહેલી છે. દરિયાની અંદર પવન ફૂંકાવાની સંભાવના દેખાઇ રહી છે.
આ પણ વાંચો : પીએમ કિસાન સન્માન નિધિનો ૧૪મો હપ્તો ખેડૂતોના ખાતામાં થયો જમા, દેશના 8.5 કરોડ ખેડૂતોને મળ્યો લાભ....
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટ મહીનાની શરૂઆત થી જ વરસાદનો એક આક્રમક રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે. ત્યાર પછી ધીમે ધીમે વરસાદ ઓછો ઓછો થતો જશે. 23 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે એવી આગાહી પણ કરવામાં આવી છે. વરસાદનાં બીજા અને ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડયા બાદ બાદ હવે મેઘરાજા ચોથા રાઉન્ડમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધમરોળશે તેવી આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે.
અંબાલાલ પટેલનાં જણાવ્યા અનુસાર ઓગસ્ટનાં મધ્યભાગ એટલે કે 15 ઓગસ્ટ સુધી રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. ત્યાર પછી વરસાદનું જોર ઓછું થતુ જશે. જો કે આપને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમા સિઝનનો સરેરાશ 83 ટકા વરસાદ પડી ચૂક્યો છે. તાજેતરમાં જ ગુજરાતમાં જુનાગઢ, અમરેલી, નવસારી સહિત ના જિલ્લઓમા ભારે વરસાદ ખાબક્યો હતો. હવેનાં રાઉન્ડમાં ઉત્તર ગુજરાત અને ખાસ તો મહેસાણામાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદમાં તાજેતરમાં અમુક વિસ્તારોમાં 5 કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદ ખાબકી જતાં રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઇ હતી. જો કે અમદાવાદીઓએ ચોથા રાઉન્ડમાં પણ વરસાદનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે કારણ કે હજુ તેમના પર વરસાદનાં સંકટનાં વાદળો હટયા નથી. આગામી દિવસોમાં અમદાવાદમાં પણ ભારે વરસાદ થશે તે પ્રકારની આગાહી કરવામાં આવી રહિ છે.
જો કે અરબ સાગરમાં જોવા મળતી હલચલનાં કારણે સૌરાષ્ટ્ર મા સારો વરસાદ પડશે. સમુદ્રમાં 100 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 48-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 27 જુલાઇથી 3 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા ના વિસ્તારોમા વરસાદ પડે તેવી શકયતાઓ છે. 28 અને 29 તારીખે ઓછો કે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. ‘આખો બંગાળનો ઉપસાગર જાણે વલોવાતો હોય એવી સ્થિતિ સર્જાવાની શકયતાઓ છે. આવી આગાહિ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - weather news