
બે સત્રની બે એકમ કસોટી લેવામાં આવશે. બન્ને એકમ કસોટી 25-25 ગુણની રહેશે. અગાઉ માસીક એકમ કસોટી લેવામાં આવતી હતી
એકમ કસોટીને લઇને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. ધોરણ 9 થી 12માં સત્ર દીઠ એક એકમ કસોટી લેવામાં આવશે. બે સત્રની બે એકમ કસોટી લેવામાં આવશે. બન્ને એકમ કસોટી 25-25 ગુણની રહેશે. અગાઉ માસીક એકમ કસોટી લેવામાં આવતી હતી, પરંતુ હવે માસિક એકમ કસોટીને સ્થાને સત્ર દિઠ એક જ એકમ કસોટી લેવામાં આવશે.
જાણીતા લેખક રવિન્દ્રભાઇ પારેખના ઓપનિયન મેેગેઝિનમાં લખાયેલા એક આર્ટિકલને ટાંકીએ તો એકમ કસોટીઓ નિરર્થક છે એવી રજુઆત GCERTના પૂર્વ નિયામક ડો. નલિન પંડિતે ઘણા વખતથી સરકારને કરી હતી, પણ સરકારે તેમની વાત કાને ધરી ન હતી. જે બાદ તેમણે ઉપવાસથી આંદોલનનાં મંડાણ કર્યાં હતા, તેમને અનેક શિક્ષક સંઘોએ ટેકો જાહેર કર્યો હતો અને જોતજોતામાં તેની રાજ્ય વ્યાપી અસરો પણ પડી. આ જ આર્ટિકલ અનુસાર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી ડિંડોરને પત્ર લખીને એકમ કસોટીની સમીક્ષા કરવા અંગે પત્ર પણ લખ્યો હતો. . મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ – ભાવનગરે તો શિક્ષણ મંત્રીને એકમ કસોટી નાબૂદ કરવાની જ સીધી અને સ્પષ્ટ વાત કહી હતી.
મહત્વનું છે કે રાજ્ય સરકારે રાષ્ટ્રીય નવી શિક્ષણનીતિ 2020 અંતર્ગત બાળકોના 360 ડિગ્રી મુલ્યાંકન બાબતની સમિતિની રચના કરી હતી. આ સમિતિએ એ બાબતનો અભ્યાસ કરવાનો હતો કે એકમ કસોટીને કારણે થતા શિક્ષકોના વર્કલોડને ધ્યાનમાં રાખીને શું કરી શકાય. સમિતિએ તેના અભ્યાસમાં જણાવ્યું હતું કે બાળકોનું 360 ડિગ્રી મુલ્યાંકન કરવું હોય તો એકમ કસોટીમાં ફેરફાર કરવો જોઇએ જેથી શિક્ષકોનો વર્કલોડ ઓછો થાય અન બાળકોનું સમગ્ર મુલ્યાંકન થાય
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - education-news-gujarat-board-revises-unit-test-policy-for-classes-9-to-12