• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • દેશ-વિદેશ
  • ભારતે UNમાં પડોશી દેશ પર કર્યા પ્રહાર: "પાકિસ્તાને કોઈ પણ ભોગે, PoK ખાલી કરવું જ પડશે નહીંતર…"

ભારતે UNમાં પડોશી દેશ પર કર્યા પ્રહાર: "પાકિસ્તાને કોઈ પણ ભોગે, PoK ખાલી કરવું જ પડશે નહીંતર…"

10:41 PM March 25, 2025 Gujju News Channel Share on WhatsApp

જમ્મુ અને કાશ્મીરને લઈને આંતરરાષ્ટ્રીય મંચ પર અવારનવાર પાયાવિહોણા નિવેદન કરતા રહેતા પાકિસ્તાનને ભારતે આજે આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનને કહ્યું છે કે, અમારા કાશ્મીરના પચાવી પાડેલા ભાગને કોઈ પણ ભોગે ખાલી કરવું જ પડશે.



સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આજે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આડે હાથે લઈને અરીસો બતાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ સુરક્ષા પરિષદમાં શાંતિ જાળવવાના મુદ્દા પરની ચર્ચા દરમિયાન પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે તરત જ ભારતે પાકિસ્તાનને જમ્મુ અને કાશ્મીર મુદ્દે ધેર્યુ હતું. પડોશી દેશને અરીસો બતાવતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પાકિસ્તાને અમારા જમ્મુ અને કાશ્મીરનો ભાગ ગેરકાયદે પચાવી પાડ્યો છે. પાકિસ્તાને પચાવી પાડેલા જમ્મુ કાશ્મીરનો ભાગ કોઈ પણ ભોગે ખાલી કરી નાખે.


સંયુક્ત રાષ્ટ્ર સંધમા ભારતના કાયમી પ્રતિનિધિ હરીશે પાકિસ્તાનને આડેહાથે લેતા કહ્યું હતું કે, અવાર નવાર અમારા જમ્મુ અને કાશ્મીરને લઈને પાકિસ્તાન પાયાવિહોણા નિવેદન કરતું રહે છે. આતંકવાદ ફેલાવવાના તેમના કારસા જાણીતા છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરને લઈને કરતા પાયાવિહોણા નિવેદનો અને દાવાઓ, તેમના પ્રેરિત આતંકવાદને યથાર્થ નહીં ઠેરવી શકે.


ભારતે સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહ્યું કે, પાકિસ્તાને ભારતના જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગો પર ગેરકાયદેસર રીતે કબજો કર્યો છે અને તેણે તે કબજે કરેલો જમ્મુ કાશ્મીરનો વિસ્તાર ખાલી કરવો જ પડશે. હરીશે પાકિસ્તાનને તેની સંકુચિત વિચારસરણી અને વિભાજનકારી નીતિઓ છોડીને શાંતિના માર્ગે વધુ આગળ વધવાની સલાહ આપી.


► "પાકિસ્તાન શાંતિ ઈચ્છે તો આતંકવાદ ફેલાવવાનું બંઘ કરે"


યુએનમાં સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે આકરા શબ્દોમાં પાકિસ્તાનને એક કડક સંદેશ આપ્યો અને કહ્યું, ‘પાકિસ્તાને સમજવું જોઈશે કે તેણે PoK (પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર) છોડવું પડશે, જેમાં તેઓ બેઠા છે.’ જો પાકિસ્તાન શાંતિ ઇચ્છતું હોય તો પહેલા તેણે આતંકવાદ અને નફરત ફેલાવવાનું બંધ કરવું પડશે.


ભારતે એમ પણ કહ્યું કે તે પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ પાકિસ્તાનની જવાબદારી છે કે તે પહેલા આતંકવાદનો અંત લાવે અને શાંતિનું વાતાવરણ સર્જે જેથી બંને દેશો વચ્ચે કોઈપણ પ્રકારની વાતચીત શક્ય બની શકે. જો કે, ભારતે પાકિસ્તાનને એવી પણ સલાહ આપી કે તે સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચો પર પોતાનું તુચ્છ રાજકારણ ના રમે. અહીં આપણે શાંતિ વિશે વાત કરવાની છે, જૂના વિવાદોને ભડકાવવા નહીં. એકંદરે, ભારતે ફરી એકવાર પાકિસ્તાનને યાદ અપાવ્યું કે પીઓકે પર તેમનો કબજો ગેરકાયદેસર છે, કોઈપણ સંજોગોમાં તેમનો કબજો પીઓકેમાં ચાલુ રહી શકે નહીં.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - pakistan must vacate pok at any cost otherwise india attacks enemy country in un - પીઓકે મુદ્દે યુએનમાં ભારતની પાકિસ્તનાને ખુલ્લી ચેતવણી



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us