
India’s Got Latent Showમાં કોમેડીના નામે અશ્લીલતા: પોલીસ ફરિયાદ થતાં રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી, જુઓ શું કહ્યું?
India’s Got Latent Show શોમાં ડાર્ક કોમેડીથી લઈને અશ્લિલતાની હદ્દ વટાવી ચૂકનાર સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા સામે મુંબઈમાં ફરિયાદ નોંધાઈ છેે. સાથે જ NHRCએ YouTubeને પત્ર પણ લખ્યો છે.
Complaint against Ranveer Allahbadia & Samay Raina for obscenity : મશહૂર યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ રણવીર અલ્હાબાદિયાને કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ' પર કરવામાં આવેલી એક અશ્લીલ મજાક કરવાની ભારે પડી ગઈ છે. જેને લઈને હવે તેની ખૂબ ટીકા થઇ રહી છે. મામલો એટલો બધો આગળ વધી ગયો કે રણવીર સહિત ઘણાં લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેન લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું એક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, 'કોઈપણ નિયમ તોડશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.'
હકીકતમાં કોમેડિયન સમય રૈનાના શો 'ઇન્ડીયાઝ ગોટ લેટેન્ટ'માં હાજર રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને તેના માતા-પિતાના અંગત જીવન સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયો હતો. જેને લઈને લોકો તરત જ ગુસ્સે ભરાયા ગયા હતા અને લોકોએ સમય અને રણવીર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ કેસમાં હવે રણવીર અલ્હાબાદિયા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અપૂર્વ માખીજા ઉર્ફે રેબેલ કીડ, કોમેડિયન સમય રૈના અને શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ના આયોજકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હવે આ મામલે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, 'મને પણ આ અંગે માહિતી મળી છે. જો કે, મેં તે જોયું નથી. મને ખબર પડી છે કે તેમાં એવા નિવેદનો આપવામાં આવ્યા છે કે જેમાં અશ્લીલતા હતી, જે બિલકુલ ખોટું છે. વાણી સ્વાતંત્ર્ય દરેક માટે છે પણ જ્યારે આપણે બીજાની સ્વતંત્રતા પર અતિક્રમણ કરીએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા સમાપ્ત થઇ જાય છે. આ બરાબર નથી. દરેકની પોતાની મર્યાદા હોય છે, અમે અશ્લીલતા માટે પણ નિયમો નક્કી કર્યા છે. જો કોઈ તેમને ઓળંગશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.'
આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ માફી માંગતા જણાવ્યું હતું કે, 'મારી કોમેન્ટ ફક્ત અયોગ્ય જ નહી પણ રમુજી પણ નહોતી. કોમેડી મારો ખાસ ગુણ નથી. તમારામાંથી ઘણાએ મને પૂછ્યું છે કે, શું હું મારા પ્લેટફોર્મનો આ રીતે ઉપયોગ કરવા માંગુ છું. દેખીતી રીતે હું તેનો આ રીતે ઉપયોગ કરવા માંગતો નથી. જે બન્યું તેની પાછળ હું કોઈ તર્ક આપીશ નહીં. હું તો અહીં માફી માંગવા આવ્યો છું.'
સોશિયલ મીડિયા પર લોકો રણવીર અલાહબાદીયાને ઘણુ ખરું સંભાળવી રહ્યા છે. પોતાની ટિપ્પણી બાદ તે કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. તેની વિરુદ્ધ પોલીસમાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે. હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રણવીરની ટિપ્પણીને નોંધતા યુટ્યુબને પત્ર લખ્યો છે.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , controversy over YouTuber Ranveer Allahbadia's remarks on a show, Maharashtra CM Devendra Fadnavis , Complaint against Ranveer Allahbadia & Samay Raina for obscenity
,I shouldn’t have said what I said on India’s got latent. I’m sorry. pic.twitter.com/BaLEx5J0kd
— Ranveer Allahbadia (@BeerBicepsGuy) February 10, 2025
#WATCH | Mumbai: On controversy over YouTuber Ranveer Allahbadia's remarks on a show, Maharashtra CM Devendra Fadnavis says, "I have come to know about it. I have not seen it yet. Things have been said and presented in a wrong way. Everyone has freedom of speech but our freedom… pic.twitter.com/yXKcaWJWDD
— ANI (@ANI) February 10, 2025