• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • સોમવતી અમાસના દિવસે આ ખાસ ઉપાય નવા વર્ષને ભાગ્યોદયશાળી અને સુખ-સંપત્તિથી ભરપુર બનાવશે | Somvati Amas Upay

સોમવતી અમાસના દિવસે આ ખાસ ઉપાય નવા વર્ષને ભાગ્યોદયશાળી અને સુખ-સંપત્તિથી ભરપુર બનાવશે | Somvati Amas Upay

06:04 PM December 26, 2024 Gujju News Channel Share on WhatsApp

Somvati Amas Upay In Gujarati: ચાલુ વર્ષની આ છેલ્લી સોમવતી અમાસ 30 ડિસેમ્બરના રોજ છે. સોમવતી અમાસ પર અમુક ખાસ ઉપાય કરવાથી દેવી દેવતા અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે, જેથી નવું વર્ષ 2025 જીવનમાં સુખ, શાંતિ અને સફળતા લઇને આવે.



Somvati Amavasya Upay In Gujarati: હિન્દુ ધર્મમાં પૌષ મહિનાનું ખાસ મહત્વ હોય છે. આ મહિનામાં પૂજા, અર્ચના અને ધાર્મિક કાર્ય કરવાથી શુભ ફળ મળે છે. સાથે જ પૌષ મહિનાની અમાસને પોષ અમાસ કહેવામાં આવે છે. પંચાગ અનુસાર આ વખતે આ તારીખ 30 ડિસેમ્બર 2024ના રોજ પોષ અમાસ તિથિ છે. અમાસ તિથિ સોમવારે આવી રહી હોવાથી તેને સોમવતી અમાસ કહેવાશે. આવી સ્થિતિમાં સોમવારે આવતી અમાસ એટલે કે સોમવતી અમાસનું મહત્વ ઘણુ વધી જાય છે. તમને જણાવી દઈએ કે આ વર્ષ 2024ની છેલ્લી અમાસ છે. વૈદિક પંચાગ અનુસાર, પૌષ અમાસ 30 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 4:01 વાગ્યે શરૂ થશે અને 31 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 3:56 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયતિથિના આધારે 30 ડિસેમ્બરે સોમવતી અમાસ મનાવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષની છેલ્લી અમાસ પર અમુક ઉપાય કરવાથી સાધક વિશેષ ફળ મેળવી શકે છે, સાથે જ દેવી-દેવતાઓ પાસેથી પણ ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે છે.

► સોમવતી અમાસનું મહત્વ

સોમવતી અમાસના દિવસે ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે અને આર્થિક લાભ પણ મળે છે. આ સાથે સોમવતી અમાસ પિતૃઓ માટે પિંડદાન, તર્પણ, દાન વગેરે કરવા માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. સાથે જ આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.

► સોમવતી અમાસના ઉપાયો

⇒ સોમવતી અમાસના દિવસે પૂર્વજોની શાંતિ માટે પૂજા-અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવતી અમાસ તિથિ પર શ્રાદ્ધ, પિંડ દાન અને તર્પણ કરવાથી દિવંગત આત્માઓને શાંતિ મળે છે અને પૂર્વજો આશીર્વાદ આપે છે. આ સાથે ભગવાન શિવનો આ દિવસે જળ, દૂધ, દહીં, મધ અને ઘીથી અભિષેક કરવો જોઈએ. આવું કરવાથી જીવનમાં ખુશી આવે છે.

⇒ સોમવતી અમાવસ્યા પર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પૂર્વજો અને દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે. આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરી દીવો પ્રગટાવો. તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે.

⇒ અમાસ પર દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે સાત પ્રકારના અનાજ અને કપડાનું દાન કરવું ખૂબ જ શુભ છે. આ ઉપરાંત આ દિવસે ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ અને શ્રી સુક્તનો પાઠ કરવાથી દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.


(Disclaimer: આ લેખમાં આપેલી કોઈપણ માહિતી જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ કે શાસ્ત્રો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્ર કરાઈ છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News - Somvati Amas Upay in Gujarati know somvati amavasya pooja vidhi - સોમવતી અમાસના દિવસે આ ખાસ ઉપાય નવા વર્ષને ભાગ્યોદયશાળી અને સુખ-સંપત્તિથી ભરપુર બનાવશે | Somvati Amas Upay



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us