• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • કેવડિયામાં PM મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પુષ્પાજંલી અર્પણ કરી, એકતા પરેડનું નિરીક્ષણ કરી રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા

કેવડિયામાં PM મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પુષ્પાજંલી અર્પણ કરી, એકતા પરેડનું નિરીક્ષણ કરી રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા

08:11 AM October 31, 2024 gujjunewschannel.in Share on WhatsApp

PM Modi At Kevadiya Statue Of Unity, Ekta Divas 2024 : સરદારની જન્મજયંતી નિમિત્તે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા



PM Modi At Kevadiya, Ekta Divas 2024 : બે દિવસમાં PM મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ સરદાર પટેલની જન્મ જયંતિને લઈ ઉજવાતા એકતા દિવસને લઈ બે દિવસ કેવડિયાની મુલાકાતે આવ્યા છે. આજે સવારે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં હવે 7:30 વાગે પરેડ ગ્રાઉન્ડમાં સુરક્ષાદળોની પરેડની સલામી ઝીલી સૌને એકતાના શપથ લેવડાવ્યા હતા. અને રાયગઢના કિલ્લાની પ્રતિકૃતિના સાંનિધ્યમાં સવારે 8 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રજોગ સંબોધન કર્યુંં હતું.

PM મોદી રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા 'હું પ્રતિજ્ઞાપૂર્વક શપથ લઉં છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે હું મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ ફેલાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો પણ કરીશ. હું મારા દેશની એકતાની ભાવનાથી આ શપથ લઈ રહ્યો છું જે સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી અને કાર્યોથી શક્ય બન્યું છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મારા હિસ્સાનું યોગદાન આપવાનો પણ સંકલ્પ કરું છું.'


ગઈકાલે વડોદારા એરપોર્ટ પર આગમન બાદ PM હેલિકોપ્ટર મારફત કેવડિયાના એકતાનગર ખાતે પહોંચ્યા હતા. ત્યાં રૂ. 284 કરોડના વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર-વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ-શિલાન્યાસ કર્યા હતા. બાદમાં આરંભ 6.0 કાર્યક્રમમાં કોમન ફાઉન્ડેશન કોર્સ(ટ્રેઇની IAS-IPS)ના અધિકારી, તાલીમાર્થીઓને સંબોધન કર્યું હતું.

રાષ્ટ્રીય એક્તા પરેડ

► રાષ્ટ્રીય એક્તા પરેડ

2014માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત થઈ ભારતના રાજકીય એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનના સન્માનમાં 31 ઓક્ટોબરના રોજ ભારતભરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2014માં ભારત સરકારે સરદાર પટેલની જન્મજયંતિએ આ ઉજવણીની શરૂઆત કરી હતી.

તાલીમાર્થી IAS-IPS સાથે PM મોદી

► તાલીમાર્થી IAS-IPS સાથે PM મોદી

અલગ અલગ સુરક્ષા ફોર્સ પોતાના કરતબો રજૂ કરશે એકતાનગર કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી. જેમાં ખાસ રાષ્ટ્રીય એક્તા પરેડ સૌથી મોટું આકર્ષણ છે. કેમ કે આ રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશના NSG કમાન્ડો, ચેતક કમાન્ડો, આર્મી, બી.એસ એફ, એરફોર્સ, સહિત CISF,SRP, NCCના કેડેટ સહિત સુરક્ષા ફોર્સ પોતાના વિવિધ કરતબો રજૂ કરશે.

એકતાનગરના વિકાસને વેગ મળશે વડાપ્રધાન દ્વારા બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર જેવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ટ્રાફિક સર્કલ્સ, સ્માર્ટ બસ સ્ટોપનું ઉદ્ઘાટન કર્યું, જે એકતાનગરના વિકાસને વેગ આપશે. ત્યાર બાદ PM આજે(30 ઓક્ટોબર,2024) એકતાનગર ખાતે આવેલા VVIP ગેસ્ટહાઉસમાં જ રાત્રિરોકાણ કર્યું હતું.

► દિવાળી પૂર્વે એકતાનગરને મળી વિકાસની ભેટ

280 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રકાશપર્વ દિવાળી અને દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરને મોટી ભેટ આપતાં રૂ. 280 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ અવસરે તેમણે નવા પ્રવાસન અને આકર્ષણ કેન્દ્રોની સાથે સાથે પ્રવાસન કાર્યના વિકાસને પ્રોત્સાહન આપતાં પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું હતું. જે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને વધુ વૈશ્વિક પ્રતિષ્ઠા અપાવશે. તેમજ એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાની સવલતો પ્રાપ્ત થશે.

નવી સગવડો અને આરોગ્યપ્રદ સેવાઓનો ઉમેરો વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજકાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આ વૈશ્વિક પ્રવાસન સ્થળની સ્થાપનાને વધુ મજબૂત બનાવવા માટે આજે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું. બોન્સાઈ ગાર્ડન, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપીરિયન્સ સેન્ટર જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ અને 50 બેડની ક્ષમતા ધરાવતી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઉદ્ઘાટન સાથે હવે એકતાનગરમાં આરોગ્ય અને જનસુવિધાઓ બંનેને નવી ઉંચાઈ મળી છે.

આધુનિક આરોગ્ય સુવિધાઓ અને સ્માર્ટ શહેરી આયોજનનો પ્રારંભ વડાપ્રધાને 22 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. જેની સાથે ટ્રોમા સેન્ટર, સિટી સ્કેન, ICU, લેબર રૂમ અને ઓપરેશન થિયેટર જેવી પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ નાગરિકો માટે ઉપલબ્ધ થશે. આ સાથે, ICU ઓન-વ્હીલ્સની નવી સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે, જેને કારણે વિકટ પરિસ્થિતિઓમાં પણ તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થશે. ટ્રાફિક વ્યવસ્થાપન અને એકતાનગરની સુંદરતાને વધારવા માટે એકતાનગરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સર્કલ્સ બ્યુટીફિકેશન બનાવવામાં આવ્યા છે. 10 સ્માર્ટ બસ સ્ટોપ અને 10 પિક-અપ સ્ટેન્ડના નિર્માણ સાથે નગરની સગવડો વધારવામાં આવી છે. જેના પ્રથમ તબક્કાનું લોકાર્પણ આ સમારોહમાં થયું.

શિલ્પકલા અને સૌંદર્ય સાથે પ્રવાસન વિકાસને વેગ જુલાઈ 2024માં SAPTI સંસ્થાના સહયોગથી યોજાયેલા 20 દિવસના શિલ્પ સિમ્પોઝિયમના ભાગરૂપે ‘પાણી, પ્રકૃતિ અને એકતા’ પર આધારિત 24 શિલ્પકૃતિઓ બનાવવામાં આવી હતી. આ શિલ્પો હવે એકતા નગરના વિવિધ જાહેર સ્થળોએ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે શહેરના પ્રવાસન અને આકર્ષણમાં વધારો કરશે. વડાપ્રધાને બસખાડીથી વ્યુપોઈન્ટ-1 સુધીના વૉકવે તેમજ એકતા દ્વારથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીના નવનિર્મિત માર્ગોના પ્રથમ તબક્કાનું પણ ઉદ્ઘાટન કર્યું.

સૌંદર્ય-પર્યાવરણ સંરક્ષણ સાથે રિન્યુએબલ એનર્જીનું પ્રોત્સાહન વડાપ્રધાને રૂ. 23.26 કરોડના ખર્ચે ૪4 મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું. જે એકતાનગરને હરિત ઉર્જાના માર્ગે આગળ વધારશે. પર્યાવરણ સંરક્ષણના હેતુથી બોન્સાઈ ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટના વિસ્તરણ સાથે પ્રકૃતિપ્રેમીઓને અનોખો અનુભવ મળશે.

સુરક્ષા અને લચીલા વિકાસ માટેની મહત્વની યોજના 2023માં આવેલા પૂરનાં નુકસાનને ધ્યાનમાં રાખીને કેક્ટસ ગાર્ડન નજીક પ્રોટેક્શન વોલનો વિસ્તાર કરવામાં આવશે. જે પ્રવાસીઓને સુરક્ષિત પર્યાવરણ અને વધુ સગવડો આપશે. સાથે જ ગરૂડેશ્વર ખાતે રૂ. 60 કરોડના ખર્ચે હૉસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટના પુનર્વિકાસ માટે જમીનનું સ્તર ઊંચું કરવાનું કામ હાથ ધરાયું છે. જેથી ભવિષ્યમાં પૂરથી સુરક્ષા મળે અને વિકાસ યથાવત્ રહે.

નિગમિત વિકાસ અને સુંદર ભવિષ્યની દિશામાં પ્રગતિ આ પ્રોજેક્ટ્સના લોકાર્પણ સાથે એકતા નગર માત્ર પ્રવાસન માટે નહીં, પરંતુ ટકાઉ વિકાસ અને નાગરિક સુવિધાઓ માટે પણ દેશભરમાં મોડેલ બનશે. એકતાનગર મજબૂત માળખાગત વિકાસ અને પર્યાવરણપ્રેમી નીતિઓના સંગમનું પ્રતિક બનશે. આ પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે મનમોહક બની રહેશે. પ્રધાનમંત્રીએ એકતાનગર ખાતે સાકાર થઇ રહેલા પ્રકલ્પ-પ્રોજેક્ટ પ્રદર્શનિનું નિરિક્ષણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમાર, નર્મદા નિગમના CMD અને SOU ઓથોરિટીના ચેરમેન મુકેશ પુરી, SOUના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ અને અધિક કલેક્ટર નારાયણ માધુ તથા ગોપાલ બામણિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


Follow Us On google News Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - PM Modi At Kevadiya, Ekta Divas 2024



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us