• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • સરકાર ૧૦૦થી વધુ સામાન પરના GSTમાં ફેરફાર કરી શકે: દવાઓ અને બાઇક સહિત ૧૦૦ વસ્‍તુઓ પર રાહતની શક્યતા

સરકાર ૧૦૦થી વધુ સામાન પરના GSTમાં ફેરફાર કરી શકે: દવાઓ અને બાઇક સહિત ૧૦૦ વસ્‍તુઓ પર રાહતની શક્યતા

10:35 AM September 27, 2024 gujjunewschannel.in Share on WhatsApp

૧૨થી સીધો ૫% થશે ટેક્‍સ : સરકાર ૧૦૦ થી વધુ સામાન પર GST જીએસટી દરમાં ફેરફાર કરી શકે છે : જો કે, કેટલીક લક્‍ઝરી વસ્‍તુઓના દરમાં વધારો થશે



મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્‍ય માણસને આગામી દિવસોમાં મોટી રાહત મળી શકે છે. કારણ કે, કેન્‍દ્ર સરકાર ૧૦૦થી વધુ સામાન પર જીએસટીના દરોમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. જેમાં જરૂરી દવાઓ, બાઇક અને અન્‍ય ઘણી વસ્‍તુઓનો સમાવેશ થાય છે. વાસ્‍તવમાં, કેન્‍દ્ર સરકારના મંત્રીઓના જૂથ (GoM) એ GST દરોમાં સુધારો કરવાના પ્રયાસો તેજ કર્યા છે જેમાં ૧૦૦ થી વધુ વસ્‍તુઓ પરના ટેક્‍સ દરોમાં સુધારો કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ અંગે પશ્‍ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ કહ્યું કે GST ૧૨% થી ઘટાડીને ૫% કરવા પર વિચારણા કરવામાં આવી રહી છે અને આગામી બેઠક ૨૦ ઓક્‍ટોબરે યોજાશે. આ ૧૦૦ વસ્‍તુઓમાં બાઇક અને બોટલ્‍ડ વોટર જેવી મહત્‍વની વસ્‍તુઓનો સમાવેશ થાય છે.

► મંત્રીમંડળે ૧૨% અને ૧૮% સ્‍લેબને મર્જ કરવા ભલામણ કરી

GST દરોને તર્કસંગત બનાવવા માટેના મંત્રીમંડળે ૧૨% અને ૧૮% સ્‍લેબને મર્જ કરવા ઉપરાંત ૧૦૦ થી વધુ વસ્‍તુઓ પરના દરો પર ફરીથી કામ કરવાની દરખાસ્‍તો પર ચર્ચા કરી છે, પરંતુ તેની ભલામણોને અંતિમ સ્‍વરૂપ આપતા પહેલા તેનું વિશ્‍લેષણ કરવાનું બાકી છે.

► જીએસટી દરને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવા જોઈએ!

એફએમ ચંદ્રીમા ભટ્ટાચાર્યએ કહ્યું કે સામાન્‍ય માણસ દ્વારા ઉપયોગમાં લેવાતી ચીજવસ્‍તુઓ પરના ટેક્‍સના દરો ઘટાડવો જોઈએ અને ખાદ્ય ચીજવસ્‍તુઓ પરના જીએસટી દરને ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવા જોઈએ. હાલમાં, મોટરસાઇકલ અને તેના પાર્ટ્‍સ અને એસેસરીઝ પર ૧૨ ટકા જીએસટી લાગે છે, જ્‍યારે ઇપ્રસાઇકલ પર પાંચ ટકા ટેક્‍સ લાગે છે. પશ્‍ચિમ બંગાળના નાણામંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ કહ્યું કે GST દરો પર ફિટમેન્‍ટ કમિટી દ્વારા વિચારણા કરવામાં આવશે. જેમાં સામાન્‍ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્‍તુઓ પર જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવશે. તે જ સમયે, કેટલીક લક્‍ઝરી વસ્‍તુઓના દરમાં વધારો કરવામાં આવશે, જેથી આવકમાં કોઈ નુકસાન ન થાય.

બુધવારે ગોવામાં બિહારના ડેપ્‍યુટી સીએમ સમ્રાટ ચૌધરીના નેતળત્‍વમાં મંત્રીઓના જૂથની બેઠકમાં ખાદ્ય ઉત્‍પાદનો, કળષિ કોમોડિટીઝ, ખાતરો, સ્‍ટેશનરી અને અન્‍ય વસ્‍તુઓ પરના દરોમાં ફેરફાર અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન, કેટલીક વસ્‍તુઓ પર ટેક્‍સ દર ૧૨% થી ઘટાડીને ૫% કરવાનો મુદ્દો સામેલ હતો. હાલમાં GST સિસ્‍ટમ ચારપ્રસ્‍તરની કર માળખું છે, જેમાં પાંચ, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના સ્‍લેબ છે.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , gst-rate-rationalisation-goverment-discusses-pruning-12-pc-slab-next-meeting , સરકાર ૧૦૦થી વધુ સામાન પરના GSTમાં ફેરફાર કરી શકે: દવાઓ અને બાઇક સહિત ૧૦૦ વસ્‍તુઓ પર રાહતની શક્યતા



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 16 જુન 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 15-06-2025
  • Gujju News Channel
  • ગુજરાતમાં ચોમાસાની તોફાની શરૂઆત ! અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ, વીજળી પડતા 5નાં મોત 7 લોકો ઘાયલ
    • 15-06-2025
    • Admin
  • કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ
    • 15-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us