
ભારતમાં ૭૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી ! શા માટે ૫૪ ટકા લોકો છોડવા માગે છે પોતાની નોકરી ?
ફિનટેક સેક્ટરમાં ૪૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે તો વળી ૬૦ ટકા લોકો પોતાની નોકરીથી નાખુશ છે, જાણો શા માટે આવી સ્થિતિ નિર્માણ થઈ ?
ભારતમાં નોકરી કરતા લોકોની હાલત ખુબ જ દયનિય હોય તેવો એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટે ખુલાસો કર્યો છે કે દેશમાં ૭૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી. એટલે કે દેશમાં ૧૦માંથી ૭ લોકો પોતાની નોકરીથી ખુશ નથી. તો વળી અડધાથી વધારે લોકો પોતાની નોકરી છોડવા માગે છે. દેશના અલગ અલગ ભાગ અને ઈન્ડસ્ટ્રી સેક્ટરમાં મહિલા-પુરુષ કર્મચારીની વચ્ચે તેમની જોબને લઈને હેપીનેસમાં ખૂબ જ અંતર છે. શા માટે લોકો પોતાની જોબમાં ખુશ નથી. તેને લઈને આ રિપોર્ટમાં તેના કારણો પણ લખવામાં આવ્યા છે. ત્યારે આવો જોઈએ આ રિપોર્ટમાં શું થયા છે ખુલાસા...
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, સૌથી વધારે પોતાની નોકરીથી નાખુશ લોકો છે ફિનટેક સેક્ટરમાં. ફિનટેક સેક્ટરમાં ૪૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે તો વળી ૬૦ ટકા લોકો પોતાની નોકરીથી નાખુશ છે. તો વળી બાયોટેક્નોલોજી સેક્ટરમાં ફક્ત ૩૯ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે અને આઈટી સેક્ટરમાં ૩૮ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ છે. રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં ૨૦ ટકા લોકો જ પોતાની નોકરીથી ખુશ છે, બાકીના ૮૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી.
દેશમાં ૫૪ ટકા લોકો પોતાની નોકરી છોડવા માગે છે, તેનું કારણ વર્કપ્લેસ પર કોન્ફ્લિક્ટ, સહકર્મીઓના સાથ સહયોગમાં મોટી અડચણ છે. ૬૨ ટકા કર્મચારી કામ પર પોતાના વિચારો ખુલીને વ્યક્ત કરી શકતા નથી. સ્વતંત્ર રીતે મત રજૂ કરવામાં અસમર્થ એક નેગેટિવ વર્ક કલ્ચર કર્મચારીઓને અલગ અનુભવ કરાવે છે. આ ઉપરાંત જોબના કારણે અમુક લોકોને પર્સનલ ઈન્ટરેસ્ટ માટે સમય મળતો નથી. જેના કારણે લોકો પોતાની નોકરી છોડવા માગે છે.
૨૮-૪૪ એજ ગ્રુપમાં નોકરી છોડવાનો ઈરાદો સૌથી વધારે છે. ૨૮-૪૪ એજ ગ્રુપના ૫૯ ટકા લોકો નોકરી છોડવા માગે છે. મિલેનિયલ્સ હંમેશા કોન્ફ્લિક્ટના કારણે જોબ મેટ્સ સાથે કામ કરતા ભાગે છે. ૬૩ ટકા મિલેનિયલ્સને કામ પર તેમના યોગદાનને વખાણ અને સન્માન મળતું નથી. સાથે જ ૫૯ ટકા મિલેનિયલ્સ પોતાના રસના કારણે સમય કાઢી શકતા નથી. આ તમામ કારણોથી લોકો પોતાની નોકરીઓથી ખુશ નથી.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel , 70 percent of people in India are not happy with their jobs Report In Gujarati , ભારતમાં ૭૦ ટકા લોકો પોતાની નોકરીથી ખુશ નથી ! શા માટે ૫૪ ટકા લોકો છોડવા માગે છે પોતાની નોકરી