
Guru Purnima 2024: ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 20 કે 21 જુલાઈએ, જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત વિશે
હિન્દુ ધર્મમાં ગુરુનું સ્થાન ભગવાન બરાબર માનવામાં આવે છે. આ માટે ગુરુને ઈશ્વરરૂપી ગુરુને સમ્માન, પૂજા અને મહત્વ અર્પણ કરવા માટે અષાઠ પૂનમના રોજ Guru Purnima 2024 ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. આ તિથીમાં વેદ વ્યાસની જયંતી હોવાથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. જીવનમાં સાચો માર્ગ બતાવવામાં ગુરુનો મોટો ફાળો છે, તેથી વ્યક્તિએ હંમેશા તેમનો આદર કરવો જોઈએ.દર વર્ષે અષાઢ પૂર્ણિમાના દિવસને ભગવાનના રૂપમાં ગુરુના સન્માન, પૂજા અને મહત્વ માટે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ બધા ગુરુઓનું સન્માન કરવાનો ખૂબ જ શુભ દિવસ છે. જુલાઈમાં ગુરુ પૂર્ણિમાની તિથિને લઈને લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે. કેમ કે ઘણા લોકો Guru Purnima 2024 Date 20 જુલાઈના રોજ તો ઘણા લોકો 21 જુલાઈના રોજ કહે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 21 જુલાઈને રવિવારે ઉજવવામાં આવશે.
20 જુલાઈને શનિવારે સાંજે 5:59 મિનીટે પૂનમની તિથિ બેસી જાય છે, તેનું સમાપન બીજા દિવસે એટલે કે 21 જુલાઈના રોજ બપોરે 3:46 મિનિટે થાય છે. ઉદયતિથિ માન્ય હોવાને કારણે અષાઢ પૂનમ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવશે.આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે ઘણા યોગનું મિલન થઈ રહ્યુ છે અને આ દિવસે સર્વાર્થ સિદ્ધિ, રવિ, પ્રીતિ અને વિશ્કુમ્ભ યોગ પણ રહેશે. ગુરુ પૂજા માટે સવારે 7:19 મિનિટ થી બપોરના 12:17 મિનીટ સુધી શુભ સમય છે. તો ચંદ્રોદયનો સમય રાત્રે 7:38 મિનિટ છે.
⇒ આ મંત્રનો જાપ કરો. ગુરુ પૂર્ણિમાના રોજ સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ભગવાન વિષ્ણુ અને વેદ રચયિતા વેદ વ્યાસની પૂજા કરવી જોઈએ.
⇒ ત્યારબાદ તમારા ઘરના પૂજા સ્થાનમાં સ્થાપિત દેવી-દેવતાઓની મૂર્તિઓને પ્રણામ કરો અને તેમની વિધિવત પૂજા કરો.
⇒ ગુરુ પૂર્ણિમાના દિવસે ‘‘गुरुर्ब्रह्मा गुरुर्विष्णु र्गुरुर्देवो महेश्वरः गुरु साक्षात परब्रह्मा तस्मै श्रीगुरवे नमः’’
⇒ આ દિવસે ગુરુને પગે લાગીને તેમના આશીર્વાદ લેવા અને પોતાની શક્તિ પ્રમાણે ગુરુને ગુરુ દક્ષિણા જરૂર આપવી.
સામાન્ય રીતે સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરતી હોય છે અને તેની કક્ષામાંના જુદા જુદા ચોક્કસ ગુણ ધરાવતા તત્વો હોય છે. વર્ષ દરમિયાન અમુક દિવસમાં, આપણા સાઘુ સંતોને અમુક ક્ષણે જ્ઞાનનો સ્વ અનુભવ મળે છે, તેઓ અપૂર્ણતાને પૂર્ણતામાં પરિવર્તિત કરવા સતત પ્રક્રિયામાં રહે છે, અને પ્રકૃતિની થોડી સહાય બાદ અમુક ચોક્કસ દિવસોમાં તપ રૂપી ઝાડ પર જ્ઞાનના ફુલો સરળતાથી ખીલે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એક ચોક્કસ સંબંધ સ્થાપિત થતો હોય છે, જેના પરિમાણમાં આપણામાં ગ્રહણશક્તિ પેદા થાય છે, અને આપણે તેને ગુરુની કૃપા તરીકે સંબોધીયે છીએ. પરંપરાગત રીતે, આ સમયનો લોકો શક્ય હોય એટલો ઉપયોગ કરતા. સામાન્ય રીતે ભારતમાં ગુરુ પર શ્રદ્ધા રાખનારા લોકો પૂર્ણીમાની રાત્રી ગુરુના સાનિધ્યામાં વિતાવતા. આખી રાત, ક્યાં ધ્યાન, તો ક્યાંક ભજન, તો ક્યાંક નૃત્ય અથવા તો ક્યાંક પ્રકૃતિની સાથે વિતાવતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel ,Guru Purnima 2024, Date Puja Subh Muhurar, ગુરુ પૂર્ણિમાનું મહત્વ, ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ? -ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવાશે ?