
"કોંગ્રેસ ધારે તો હિમાલય સહિત મહાદ્વીપોના સોદા કરી નાખે તેવી માનસિકતા છે સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના ના હોત તો જુનાગઢ પાકિસ્તાનમાં જતું રહ્યું હોત" તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (PM Modi At Junagadh) એ જૂનાગઢમાં જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સંતોના આશીર્વાદ લીધા હતા. હું જે કંઈ પણ છું તે સંતો અને જનતા જનાર્દનના આશીર્વાદથી છું તેમ વડાપ્રધાને કહ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂ. શેરનાથબાપુ , પૂ. મુક્તાનંદબાપુ સહિતના સંતોના આશીર્વાદ લીધા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં ચઢાવ્યું હતું કે ગુજરાત આવું ત્યારે નવી ઊર્જા નો સંચાર થાય છે બે દિવસથી ગુજરાતની જનતાનો ઉમંગ ઉત્સાહ જોઈને હું ખૂબ જ ખુશ થયો છું આપના પ્રેમ અને આશીર્વાદ એ મારી મોટી મૂડી છે જે જગ્યાએથી શિક્ષા દીક્ષા અને સંસ્કાર મળ્યા તેને હું ક્યારેય ભૂલી ન શકું આપના આશીર્વાદથી જ દુનિયામાં ભારતનો ડંકો વાગ્યો છે મારી મહેનત નસીબ અને સંસ્કારથી ભારત આજે વિશ્વમાં ગુંજી રહ્યું છે અને મારો પણ હૃદયમાં એક જ ભાવ છે કે મારું ભારત વિકાસશીલ દેશ બને.
કોંગ્રેસ જો સત્તામાં આવશે તો વિકાસની હરણફણ અટકી જશે. તેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું. લોકસભા ચૂંટણીને લઈને આજે બપોરે જૂનાગઢમાં નરેન્દ્રભાઈ મોદીએ વિજય વિશ્વાસ સભા યોજી ભાજપના ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો.
ગુજરાતના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકસભા સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ બેઠક મળે તે માટે એડીચોટીની જોર લગાવ્યું છે. આ પ્રમાણે ગુજરાતની સુરત બેઠકને બાદ કરતાં અન્ય 25 લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થાય તે માટે નરેન્દ્રભાઈ મોદી બુધવારથી ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવ્યા છે. જેનો પ્રારંભ તેઓએ ડીસા અને હિંમતનગર ખાતે જાહેર સભાના સંબોધીને કર્યો હતો. લોકસભાને ચૂંટણીમાં ગુજરાતમાં મતદાન આડે પાંચ જ દિવસ બાકી છે ત્યારે આજે સવારે વડાપ્રધાને તેમના બીજા દિવસના ચૂંટણી પ્રવાસીની શરૂઆત વલ્લભ વિદ્યાનગર ખાતે વિજય વિશ્વાસ સભા સાથે કરી હતી.
આ પછી સુરેન્દ્રનગરમાં સભા સંબોધ્યા બાદ નરેન્દ્રભાઈ મોદી જૂનાગઢમાં કૃષિ વિશ્વ વિદ્યાલયના મેદાન પર આયોજિત વિજય વિશ્વાસ સભા માટે પહોંચ્યા હતા. નિર્ધારિત સમય કરતા મોડા પહોચેલા નરેન્દ્રભાઈ મોદીનું પાર્ટીના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં સભાના સ્ટેજ પરથી વડાપ્રધાને ઉપસ્થિત જનમેદીનીનું અભિવાદન ઝીલ્યું હતું.
આકરા તાપમાં લોકસભાની જુનાગઢ, પોરબંદર અને અમરેલી બેઠકના ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે આવેલા નરેન્દ્રભાઈને સાંભળવા માટે કાળઝાળ ગરમીની પરવા કર્યા વગર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. શ્રોતાઓને હીટવેવની અસર થાય અને તબિયત લથડે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સભા સ્થળે આરોગ્ય વિભાગની 4 ટીમ, 4 સ્ટ્રેચર, 40 પેરા મેડિકલ ઓફિસર અને બે એમ્બ્યુલન્સ તહેનાત રાખવામાં આવી હતી. આ ઉપરાંત ઓઆરએસના 2,000 પેકેટની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
નરેન્દ્રભાઈ મોદીની ચૂંટણી સભાને લઈને આઈજી નિલેશ જાજડિયાની સૂચનાથી એસપી હર્ષદ મહેતા દ્વારા 2200થી વધુ સુરક્ષા કર્મીઓના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષા કારણોસર સ્ટેજ આસપાસ એસપીજી-કેન્દ્રીય એજન્સીના સુરક્ષા કર્મઓ ખડેપગે રહ્યા હતા. હેલીપેડથી સભા સ્થળ તેમજ મોતીબાગ, ટીંબાવાડી સહિતના વિસ્તારોમાં પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી વગેરેને તૈનાત કરવામાં આવ્યા હતા.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - gujju news channel - Gujju news channel live today - Gujju news channel number - Gujju news channel online - Gujju news channel live streaming - Gujju news channel contact number - ઝી 24 કલાક ગુજરાતી સમાચાર લાઇવ - LokSabha Election 2024 - Congress Vs. Bjp - Lok Sabha Election 2024 - PM Modi in Lok Sabha Election 2024 - લોકસભા ચૂંટણી 2024 - Loksabha Election 2024 PM Modi Visit Gujarat - PM Modi At Junagadh Visit Gujarat 2024