• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • GUJARAT RAIN: મધ્ય ગુજરાતમાં 'બારે મેઘ ખાંગા', ઘરોમાં ઘૂસ્યા પાણી: રેલવે ટ્રેક - રોડ ધોવાયા…

GUJARAT RAIN: મધ્ય ગુજરાતમાં 'બારે મેઘ ખાંગા', ઘરોમાં ઘૂસ્યા પાણી: રેલવે ટ્રેક - રોડ ધોવાયા…

08:03 PM July 10, 2022 admin Share on WhatsApp



► બોડેલીમાં 16 ઈંચ, પાવી જેતપુરમાં 10, છોટાઉદેપુરમાં 9 ઈંચ વરસાદ

► નદીના ધસમસતા પ્રવાહમાં નાળા-પુલિયા તૂટી ગયા

► પુર જેવી સ્થિતિમાં ફસાયેલા 40 લોકોને NDRFની ટીમે બચાવ્યા

► રેસ્ક્યૂ ઓપરેશનો હાથ ધરાયા

GUJARAT RAIN: રાજ્યમાં મેઘાવી માહોલ પૂર્ણ રીતે જામી ગયો છે. ગુજરાત મધ્યે 'મેઘ મલ્હાર' સાથે જળ બંબાકાર સર્જાયો છે. છોટાઉદેપુરના બોડેલીમાં 16 ઈંચ, પાવી જેતપુરમાં 10, છોટાઉદેપુરમાં 9 ઈંચ, કવાંટમાં 8 ઇંચ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. નર્મદાના સાગબારામાં અને ડેડિયાપાડામાં 5-5 ઈંચ વરસાદ પડ્યો છે.

મધ્ય ગુજરાતમાં 'બારે મેઘ ખાંગા' થયા છે. ઘરોમાં પાણી ઘૂસ્યા અને રેલવે ટ્રેક - રોડ ધોવાઈ ગયા છે. નદીના ધસમસતા પ્રવાહમાં નાળા-પુલિયા તૂટી ગયા છે. પુર જેવી સ્થિતિમાં ફસાયેલા 40 લોકોની જીંદગી NDRFની ટીમે બચાવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશનો હાથ ધરાયા હતા. આજે સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 4 વાગ્યા સુધી છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ થયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં થયો છે. બોડેલીમાં 16 ઈંચ વરસાદને પગલે જનજીવન પર અસર પડી છે. બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક ધોવાઇ જતાં પ્રતાપનગર - છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે. બોડેલીના એક રહેણાંક વિસ્તારમાં પાણી ઘુસી જતા વિસ્તારમાં તળાવમાં ફેરવાયો છે અહીંથી 40 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. ચલામલી-બોડેલી રોડ પર હાઇસ્કૂલ પાસે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે તેમજ અહીં એક પેટ્રોલ પંપ પણ પાણીમાં ડૂબી ગયો હોવાનું જાણવા મળે છે.

નસવાડીના  પલાસણી ગામમાં અશ્વિની  નદી પરનો પુલ તૂટ્યો

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ભારે વરસાદને કારણે ખુબ નુકસાન થયું છે. નસવાડી તાલુકાના પલાસણી ગામના 100 મીટરપુલનો એપ્રોચ તૂટ્યો છે. અશ્વિની નદીના ધસમસતા પાણીને કારણે પેલા પુલ પરનો અડધો અને બાદમાં રોડનો આખો ભાગ તૂટી ગયો. ઘટનાને પગલે આ રોડ બંધ કરવામાં આવ્યો છે અને સ્થાનિક તંત્ર ખડેપગે છે.

પુલની પેરાફીટમાં પણ તિરાડ 

પલસાણી ગામમાં અશ્વિની નદી પરનો આ પુલ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પુલ તો તૂટ્યો જ સાથે પુલની પેરાફીટમાં પણ તિરાડો પડી ગઈ છે. આ પુલ તૂટી જવાને કારણે કરોડોનું નુકસાન થયું છે અને પુલના બાંધકામ સામે પ્રશ્નો ઊભ થયા છે. 



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો! કહ્યું, અમેરિકાએ ભારત-રશિયાને ચીનના હાથમાં ગુમાવી દીધા, તેમને સારા ભવિષ્ય માટે શુભેચ્છા

  • 05-09-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 6 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 05-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતના 125 તાલુકામાં મેઘરાજાનો સપાટો, ઉમરપાડામાં સૌથી વધુ, જાણો ક્યાં કેટલો ખાબક્યો
    • 04-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-09-2025
    • Gujju News Channel
  • ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ ખાસ વાંચી લેજો
    • 03-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-09-2025
    • Gujju News Channel
  • ગુજરાતીઓ માટે ખુશખબર! હવે લાઈટ બિલ ઓછું આવશે, સરકારે આપી રાહત
    • 02-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-09-2025
    • Gujju News Channel
  • GST Collection : કેન્દ્ર સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો
    • 01-09-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 2 સપ્ટેમ્બર 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 01-09-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us