• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ધાર્મિક અને જ્યોતિષ
  • શ્રાવણ મહિનામાં આ 4 છોડ ઘરમાં લગાવવાથી મહાદેવની સાથે લક્ષ્મીજીની કૃપા પણ વરસશે...

શ્રાવણ મહિનામાં આ 4 છોડ ઘરમાં લગાવવાથી મહાદેવની સાથે લક્ષ્મીજીની કૃપા પણ વરસશે...

09:40 AM July 11, 2023 admin Share on WhatsApp



સનાતન ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત 18 જૂલાઈથી થવા જઈ રહી છે. આ વર્ષે એક અધિક શ્રાવણ માસ આવી રહ્યો છે. એવામાં આ સમય શિવની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે સનાતન ધર્મમાં પ્રકૃતિને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે આ પવિત્ર શ્રાવણ મહિનામાં કેટલાક વૃક્ષો અને છોડો ઉછેરો છો, તો ભગવાન ભોલેનાથની સાથે સાથે માતા લક્ષ્મી પણ તમારા પર કૃપાળુ નજર રાખીને તમારા પર આશિર્વાદ વરસાવે છે.

આ વર્ષે એટલે કે 2023માં શ્રાવણ મહિનો વધુ ખાસ બનવાનો છે કારણ કે 19 વર્ષ પછી શ્રાવણ માસ અને પુરુષોત્તમ માસ એક સાથે આવી રહ્યા છે. શ્રાવણના આ શુભ મહિનામાં કેટલાક એવા વૃક્ષો અને છોડ વિશે જણાવવામાં આવ્યું છે, જેને ઘરમાં લગાવવાથી ભોલેનાથની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

આંકડાના છોડથી સુખ અને સમૃદ્ધિ આવશે

આંકડાનો છોડ ભગવાન શિવના પ્રિય છોડમાંથી એક છે. ભગવાન શિવની પૂજામાં આંકડાના ફૂલોને વિશેષ રીતે ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આ આંકડાના છોડને શ્રાવણ મહિનામાં તમારા ઘરમાં લગાવો છો તો નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે. આ સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.

ધતુરાના છોડથી મહાદેવની કૃપા પ્રાપ્ત થશે

ધતુરાનો છોડ પણ ભગવાન શિવના પ્રિય છોડમાંથી એક છે. ભગવાન શિવને ધતુરા અર્પણ કરવાથી પણ વ્યક્તિ વિશેષ ફળ પ્રાપ્ત કરે છે. બીજી તરફ જો તમે શ્રાવણ મહિનામાં ધતુરાનો છોડ ઘરમાં લગાવો છો તો ભગવાન શિવ તેનાથી પ્રસન્ન થાય છે. સાથે જ તે પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.

બિલીપત્રથી વાસ્તુ દોષ દૂર થાય

બિલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. શિવલિંગ પર બિલીપત્ર અવશ્ય ચઢાવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ છોડને શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવવાથી ધનની કમી દૂર થાય છે. તેની સાથે જ બિલીપત્રથી વાસ્તુ દોષનો પણ અંત આવે છે.

તુલસીમાં મા લક્ષ્મીનો વાસ 

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તુલસીનો છોડ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. શ્રાવણમાં ઘરમાં તુલસીનું વાવેતર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

 (Home Page- gujju news channel)

Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - sawan 2023



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

ગુજરાતમાં ફરી વરસાદી એલર્ટ! જાણો આગામી 5 દિવસ ક્યાં જિલ્લામાં મેઘરાજા સવારી લઈને પહોંચશે?

  • 27-07-2026
  • Gujju News Channel
  • સોનમ વાંગચુકનો કેન્દ્રને ભાવુક પત્ર : "સરકાર ખાતરી આપે તો હું ભૂખ હડતાળ સમાપ્ત કરીશ"
    • 22-07-2026
    • Gujju News Channel
  • હવે વાહન માલિકીની તબદીલી માટે પરિવહન પોર્ટલ પર આધાર લિંક કરવું ફરજિયાત
    • 20-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુલાઈ 2026 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-07-2026
    • Gujju News Channel
  • વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, જાણો કેવો અને ક્યારે પડશે વરસાદ
    • 12-07-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 10 જુલાઈ 2026 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 09-07-2026
    • Gujju News Channel
  • ઓસ્ટ્રેલિયા સાથે ભારતની ઐતિહાસિક યુરેનિયમ ડીલ, ઊર્જા ક્ષેત્રે બદલાશે ગેમ
    • 09-07-2026
    • Gujju News Channel
  • દેશભરમાં વરસાદનો કહેર! મુંબઈથી વાયનાડ સુધી જળબંબાકાર, ભૂસ્ખલન અને રસ્તા ધસી પડતા હાહાકાર, IMDનું ભારે વરસાદનું એલર્ટ
    • 07-07-2026
    • Admin
  • આજનું રાશિફળ, 8 જુલાઈ 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 07-07-2026
    • Admin
  • શેરબજારમાં કમાણીની મોટી તક! આ દારૂ બનાવતી કંપનીનો IPO ટૂંક સમયમાં થશે લોન્ચ
    • 02-07-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us