
શ્રાવણ મહિનામાં આ 4 છોડ ઘરમાં લગાવવાથી મહાદેવની સાથે લક્ષ્મીજીની કૃપા પણ વરસશે...
સનાતન ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત 18 જૂલાઈથી થવા જઈ રહી છે. આ વર્ષે એક અધિક શ્રાવણ માસ આવી રહ્યો છે. એવામાં આ સમય શિવની ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે સનાતન ધર્મમાં પ્રકૃતિને પણ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે આ પવિત્ર શ્રાવણ મહિનામાં કેટલાક વૃક્ષો અને છોડો ઉછેરો છો, તો ભગવાન ભોલેનાથની સાથે સાથે માતા લક્ષ્મી પણ તમારા પર કૃપાળુ નજર રાખીને તમારા પર આશિર્વાદ વરસાવે છે.
આ વર્ષે એટલે કે 2023માં શ્રાવણ મહિનો વધુ ખાસ બનવાનો છે કારણ કે 19 વર્ષ પછી શ્રાવણ માસ અને પુરુષોત્તમ માસ એક સાથે આવી રહ્યા છે. શ્રાવણના આ શુભ મહિનામાં કેટલાક એવા વૃક્ષો અને છોડ વિશે જણાવવામાં આવ્યું છે, જેને ઘરમાં લગાવવાથી ભોલેનાથની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
આંકડાનો છોડ ભગવાન શિવના પ્રિય છોડમાંથી એક છે. ભગવાન શિવની પૂજામાં આંકડાના ફૂલોને વિશેષ રીતે ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે આ આંકડાના છોડને શ્રાવણ મહિનામાં તમારા ઘરમાં લગાવો છો તો નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે. આ સાથે ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
ધતુરાનો છોડ પણ ભગવાન શિવના પ્રિય છોડમાંથી એક છે. ભગવાન શિવને ધતુરા અર્પણ કરવાથી પણ વ્યક્તિ વિશેષ ફળ પ્રાપ્ત કરે છે. બીજી તરફ જો તમે શ્રાવણ મહિનામાં ધતુરાનો છોડ ઘરમાં લગાવો છો તો ભગવાન શિવ તેનાથી પ્રસન્ન થાય છે. સાથે જ તે પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
બિલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. શિવલિંગ પર બિલીપત્ર અવશ્ય ચઢાવવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ છોડને શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવવાથી ધનની કમી દૂર થાય છે. તેની સાથે જ બિલીપત્રથી વાસ્તુ દોષનો પણ અંત આવે છે.
હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તુલસીનો છોડ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. શ્રાવણમાં ઘરમાં તુલસીનું વાવેતર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - sawan 2023